Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

કેવડીયા પાસેના ગોરા ગામમાં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાનો વિરોધ કરનાર 30 લોકો સામે પોલીસ ફરિયાદ

કેવડિયા પાસેના ગોરા ગામ ખાતે પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાનો વિરોધ કરનાર ત્રીસ લોકો સામે ગરુડેશ્વર પોલીસ મથકે નર્મદા નિગમના નાયબ ઇજનેરે ફરિયાદ નોંધાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં કેવડિયા નજીકના ગોરા ગામમાં આકાર લઇ રહેલ પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનાનો સ્થાનિકો એ વિરોધ કર્યો હતો જેમાં સૂત્રો માંથી જાણવા મળ્યા મુજબ ગોરા ગામમાં નર્મદા અસરગ્રસ્તો એ જમીન ગુમાવનારા આદિવાસી વિસ્થાપીતો તેમની જમીન સરકાર સંપાદન કરે તે સામે વખતો વખત વિરોધ કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં થયેલ વિરોધના પગલે નર્મદા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટના બાદ આ મામલે નર્મદા નિગમના ઇજનેરે ગરૂડેશ્વર પોલીસ મથકે ત્રીસ લોકો સામે સરકારી કામકાજમાં રુકાવટ અને કોવિડ ગાઈડ લાઈનના ભંગ બદલ ફરિયાદ નોંધાવી છે.

(12:14 am IST)