Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સુરત:લિવઇનમાં રહેતા પાંડેસરાના યુવાને રાત્રીના સમયે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવતા ચકચાર

સુરત:લીવ ઇન રિલેશનશિપ ધરાવતા પાંડેસરાના યુવાનોને ગુરૂવારે રાત્રે ઘરમાં ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. જોકે તેને નાણાકીય તકલીફ પડતા આ પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે દર્શાવી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદગામમાં રહેતા 30 વર્ષીય પંકજભાઈ પાટીલ બુધવારે રાત્રે ફ્લેટમાં છતના પંખાના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળેફાસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે પંકજ મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના નસીરાબાદના વતની હતા. તેનો ઘણા સમય પહેલા પત્ની સાથે અણબનાવ બન્યો હતું. ત્યારથી તે પત્નીથી અલગ રહેતા હતા. ટેમ્પો ચાલક હતા. 

જોકે છેલ્લા ત્રણ-ચાર માસથી એક યુવતી સાથે લીવ ઇન રિલેશનશિપમા રહેતા હતા. જ્યારે તેમનું ત્રણ મહિનાથી મકાનનું ભાડું બાકી હતું અને વીજ કનેક્શન પણ કપાઈ ગયું હતું. આવા સંજોગોના લીધે તેને નાણાકીય તકલીફ પડતી હોવાથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. પણ હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:00 pm IST)