Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

નરેન્દ્રભાઇ -અમિતભાઇ વિજયભાઇએ શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ,તા. ૨૫: રબારી સમાજની ગુરૂવાદી તરભના ધર્મગુરૂ પૂ. બળદેવગીરીજી બાપુ. બ્રહ્મલીન થતા ઘેરો શોક છવાયો છે.

 

પૂ. બળદેવગીરીજી બાપુને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રશ્રી અમિતભાઇ શાહ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ  રૂપાણી સહિતાનાએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર રબારી સમાજના ધર્મ ગુરુ બળદેવગીરીજી બાપુના દુઃખદ અવસાન અંગે દ્યેરા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ઘાંજલી પાઠવી છે

રબારી સમાજના શ્રધ્ધા આસ્થા કેન્દ્ર તરભ વાળીનાથ ધામના ગાદીપતિ મહંત બળદેવગીરીજી મહારાજ પ્રત્યે સમાજ સમગ્ર રબારી સમાજ ની આસ્થાનો ઉલ્લેખ કરતાં વિજય ભાઈ રૂપાણીએ રબારી સમાજના શોકમાં સહભાગી થવા સાથે સદગત બળદેવ ગીરીજીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી છે.

(11:34 am IST)