Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિયઃ ૨૫ સભ્યોની કો-ઓર્ડિનેશન કમિટી બનાવાઈઃ અર્જુન મોઢવાડીયા કંપેઇન સમિતિના ચેરમેન પદે

ઘોષણાપત્રના દિપક બારીયા અને સ્ટ્રેટેજી કમિટીના ભરતસિંહ સોલંકી ચેરમેન : સિદ્ઘાર્થ પટેલ ચૂંટણી મેનેજમેન્ટ અને ડો. તુષાર ચૌધરી મીડિયા અને પબ્લિસિટી કમિટીના ચેરમેન : કાદિર પીરઝાદા પોગ્રામ ઈમ્પલેમેંશન સાંભળશે

 અમદાવાદ : રાજયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસ સક્રિય બની છે ચૂંટણી માટે ૨૫ જેટલા સભ્યોનો કો ઓર્ડિનેશન કમિટી બનાવાઈ છે

જેમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ , પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષ નેતા પરેશ ધાનાણી ,કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, મોહનસિંહ રાઠવા, પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર,ધારાસભ્યો પુંજાભાઈ વંશ, શૈલેષ પરમાર,વિક્રમ માડમ, તેમજ ચંદ્રિકાબેન ચુડાસમા,કરશભાઈ સોનેરી, પૂર્વ ધારાસભ્ય રાજુભાઈ પરમાર, ગૌરવ પંડ્યા,નરેશ રાવલ, સાગર રાયકા, ધારાસભ્ય વી,ડી,ઠુંમર સહિતના નેતાઓ છે.

આ ઉપરાંત સ્થાનિક માટે વિવિધ સમિતિની રચના કરાઈ છે, જેમાં ર્જુન મોઢવાડીયા કંપેઇન સમિતિના ચેરમેનપદે, ધોષણાપત્રના દિપક બારીયા અને સ્ટ્રેટેજી કમિટીના ભરતસિંહ સોલંકી ચેરમેન : સિદ્ઘાર્થ પટેલ ચૂંટણી મેનેજમેન્ટ અને ડો. તુષાર ચૌધરી મીડિયા અને પબ્લિસિટી કમિટીના ચેરમેન : કાદિર પીરઝાદા પોગ્રામ ઈમ્પલેમેંશન સાંભળશેે.

(11:33 am IST)