Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

નડિયાદના મંજીપુરા વિસ્તારમાં પરિણીતાને દહેજ મામલે ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ: નડિયાદ મંજીપુરા સંતરામ ગ્રીન સોસાયટીમાં રહેતી એક પરિણીત દીકરીને તેના વડોદરા સ્થિત સાસરિયાઓએ અમારા મોભા પ્રમાણે સગુ મળેલ નથી. અમને પૈસા વાળી છોકરીઓ મળતી હતી. તેમ કહી મ્હેણાં ટોળાં મારી હેરાન પરેશાન કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. આ સંદર્ભે પરિણીત દીકરીએ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પાંચ સાસરિયાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ તાલુકાના મંજીપુરા સંતરામ ગ્રીન સોસાયટીમાં તુલસીભાઈ નરસિંહભાઈ બારોટ રહે છે. તેઓની દીકરી હેતલબેનના પહેલા લગ્ન 24 મી ફેબ્આરી 2011 ના રોજ વાડી વિસ્તાર જાંબુડી કુઈ નાની શાકમાર્કેટ ની અંદર ટેકરા ફળિયું વડોદરા ખાતે રહેતા મુકેશભાઈ અરવિંદભાઈ ?વૈશ્ય સાથે જ્ઞાાતિના રીતરિવાજ મુજબ થયા હતા. હેતલબેન નું પ્રારંભિક લગ્નજીવન સુખમય પસાર થયું હતું. ત્યારબાદ હેતલબેન અને સાસરિયાઓ વચ્ચે નાની બાબતો માં, ઘરકામ બાબતે ઝઘડા થતા હતા. દરમિયાન સાસરિયાંઓ હેતલબેનને રાખવાની ના પાડતા હોય, જેથી 2016ની સાલમાં સમાજની રીતે છૂટાછેડા લીધા હતા. અને ખાઘાખોરાકી પેટે 1 લાખ રૂપિયા આપ્યા હતા. અને હેતલબેન તેના પિયર નડિયાદ મુકામે રહેતી હતી.

(6:29 pm IST)