Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અહેમદભાઈ પટેલના અવસાનથી કોંગ્રેસ અને ગુજરાતને મોટી ખોટ પડીઃ વિજયભાઈ રૂપાણી

રાજકોટ, તા. ૨૫ :. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસના અગ્રણી નેતા સ્વ. અહેમદભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પી હતી.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ અગ્રણી સ્વ. અહેમદભાઈ પટેલને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યુ હતુ કે સ્વ. અહેમદભાઈના અવસાનથી ખૂબ જ દુઃખ થયુ છે. તેઓએ કોંગ્રેસના સલાહકાર તરીકે વર્ષો સુધી સેવા આપી હતી. તેમજ સમગ્ર ભારતની ગતિવિધિ ઉપર તેઓ સતત નજર રાખતા હતા. સ્વ. અહેમદભાઈ પટેલનું કોંગ્રેસ માટે મોટુ યોગદાન હતું. તેમના અવસાનથી કોંગ્રેસને અને ગુજરાતને મોટી ખોટ પડી છે.

(3:05 pm IST)