Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

કેનાલમાં ગાબડાંના મુદ્દે વાવના લોદ્રાણીના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી :તંત્રમાં દોડધામ

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલ ગાબડાંનો મુદ્દો હવે આત્મવિલોપન સુધી પહોચ્યો છે. વારંવાર પડતાં ગાબડાંને લઈ વાવ તાલુકાના લોદ્રાણીના ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી હતી. તેઓએ નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત ફરિયાદ કરી છે. સુરેશભાઈ નાઈ નામના ખેડૂતની આત્મવિલોપનની ચીમકીને લઈ તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

(11:11 pm IST)