Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

રાજ્યમાં કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 20 દર્દીઓ સ્વસ્થ થયા : આજે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.088 : કુલ 8.16.187 લોકોએ કોરોનાને હરાવ્યો : આજે વધુ 2.75.254 લોકોનું રસીકરણ કરાયું

સુરતમાં 7 કેસ, વલસાડમાં 5 કેસ, નવસારી અને વડોદરામાં 2-2 કેસ નોંધાયો : હાલમાં 159 એક્ટીવ કેસ : જિલ્લા શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છેકોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 20 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 16 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 20 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.16.187 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી આજે વલસાડમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજયમાં કુલ મૃત્યુઆંક 10.088 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.75.254 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 6.89/83.360 લોકોનું રસીકરણ  સંપન્ન થયું છે

   રાજ્યમાં હાલ 159 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 લોકો વેન્ટિલેટર પર અને 154 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.16.187  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી એક  દર્દીનું મૃત્યુ થયું છે , રાજયમાં કુલ મૃત્યુઆંક 10.087 થયો છે

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 16  કેસમાં સુરતમાં 7 કેસ, વલસાડમાં 5 કેસ,નવસારી અને વડોદરામાં 2-2 કેસ નોંધાયો છે

(8:21 pm IST)