Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

વડોદરાના દશરથ ગામે સોસાયટીને નિશાન બનાવી તસ્કરોએ એકજ રાતમાં 6 મકાનના તાળા તોડ્યા

વડોદરા:શહેરના દશરથ ગામમાં આવેલી  નીલદીપ ત્રીપલેક્સ સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર કુમાર પટેલના મકાનમાં અજાણ્યા તસ્કરોએ લાકડાના દરવાજાનું લોક તોડી કબાટમાં મુકેલા રોકડા રૂ 30 હજાર તથા ચાંદીના છડાની ચોરી કરી હતી. આ ઉપરાંત મકાન નંબર 31 માં રહેતા પરેશભાઈ પટેલના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવી દરવાજાનો નકૂચો તોડી ઘરમાં પ્રવેશી રોકડા રૂપિયા 12,500 તથા એક સોનાની વિટી મળી 25 હજારની મત્તાની ચોરી કરી હતી. મકાન નંબર 34 માં રહેતાં જીતેશભાઈ મકવાણાના ઘરને પણ તસ્કરોએ નિશાન બનાવી ટીવી શોકેસના કબાટમાં મુકેલા પર્સમાંથી રોકડા રૂપિયા 4 હજારની ચોરી કરી હતી. મકાન નંબર 36 મહેતા જસપાલસિંહ વાઘેલાના મકાનના પાછળના ભાગના દરવાજાનો નકૂચો તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. સોસાયટીના મકાન નંબર 01 માં રહેતાં અશોકભાઈ પંચાલના મકાનમાં પાછળના દરવાજાનો નકૂચો તોડી રોકડા રૂપિયા 4 હજાર તથા ચાંદીના દાગીનાની ચોરી થઇ હતી. આ ઉપરાંત મકાન નંબર 28 ના મકાનનો પાછળનો નકુચો તોડી તેમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.પરંતુ મકાન માલિકના હોય ચોક્કસ વિગત બહાર આવી નથી.

 

(5:41 pm IST)