Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ખાતે દશેરાની ઉજવણી

તલવાર, બંદૂક, ઢાલ વગેરે શસ્ત્રો ભગવાનને ધરવામાં આવ્યાં

અમદાવાદઃશ્રી સ્વામિનારાયણ મંદિર- કુમકુમ- મણિનગર દ્વારા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનને તલવાર, બંદૂક, ઢાલ વગેરે શસ્ત્રો ધરાવવામાં આવ્યા હતા.

દશેરા અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, દશેરાના પર્વ ઉપર આપણે કોરોના વાઇરસ રુપી રાવણનું દહન કરવું જોઈએ. જેમ રાવણે અનેકને પીડા આપી હતી, તેમ કોરોના વાઇરસ અનેક લોકોને પરેશાન કરી રહ્યો છે. જેથી આપણે તેની સામે લડવા માટે અવશ્ય માસ્ક પહેરવું જોઈએ. આ સાથે જ સોશિયલ ડિસન્ટસ અને વારંવાર હાથ ધોવા જોઈએ.

(6:53 pm IST)