Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

નર્મદા જિલ્લામાંથી DSOની પંચમહાલ અને PSIની અમરેલી ખાતે બદલીના હુકમ થયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આવનારી ચૂંટણી ને ધ્યાને રાખી સમગ્ર રાજ્યમાં લગભગ દરેક વિભાગોમાં અધિકારીઓની બદલીનો ગંજીફો ચિપાયો છે જેમાં નર્મદા જિલ્લામાંથી પણ જિલ્લા એલસીબી અને એસ. ઓ.જી પીઆઈની બદલીઓ થયા બાદ હાલમાં જિલ્લા પુરવઠા અધિકારી એન.યું. પઠાણની બદલી પંચમહાલ ગોધરા ખાતે થઈ છે તેમની જગ્યાએ વડોદરા સ્ટેમ્પ ડ્યુટી માંથી નિલોફર શેખની નિમણૂક કરવામાં આવી છે.જ્યારે પોલીસ વિભાગમાં પીએસઆઈ ગળચર કે જેઓ જિલ્લા ટ્રાફિક શાખા બાદ તાજેતરમાં સાગબારા પો.સ્ટે.માં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમની અમરેલી બદલી થઈ છે આમ જિલ્લામાંથી એક બાદ એક અધિકારીઓની બદલીનાં હુકમો થઈ રહ્યા છે.

(10:41 pm IST)