Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

રાજ્યમાં કોરોનાનો કહેર :નવા 1442 પોઝિટિવ કેસ:વધુ 12 લોકોના મોત : કુલ કેસનો આંક 1,30.391 થયો :વધુ 1279 દર્દીઓ ડિસ્ચાર્જ થતા કુલ 1,10,490 લોકોએ કોરોનાને હરાવ્યો

સુરતમાં સૌથી વધુ 300 કેસ, અમદાવાદમાં 182 કેસ, વડોદરામાં 134 રાજકોટમાં 148 કેસ ,જામનગરમાં 114 કેસ, ગાંધીનગર અને મહેસાણામાં 48-48 કેસ,ભાવનગરમાં 45 કેસ ,બનાસકાંઠામાં 41 કેસ,અમરેલી અને અને પાટણમાં 34-34 કેસ,કચ્છમાં 30 કેસ, સુરેન્દ્રનગરમાં 28 કેસ, પંચમહાલમાં 27 કેસ ,ભરૂચમાં 27 કેસ નોંધાયા :રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકડામાં તફાવત યથાવત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે ત્યારે આજે  નવા 1442 પોઝીટીવ કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,30,390 થઇ છે  આજે વધુ 1279 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,10,490 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3396 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 16505 છે જેમાં 16413 સ્ટેબલ છે જયારે 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે રાજ્યમાં રિકવરી રેટ 84, 74% પર પહોંચ્યો છે. ત્યારે આજે 1279 દર્દીઓ સાજા થયા છે.

  રાજ્યમાં આજે નોંધાયેલા 1442 પોઝિટિવ કેસમાં સુરતમાં સૌથી વધુ 300 કેસ, અમદાવાદમાં 182 કેસ, વડોદરામાં 134 રાજકોટમાં 148 કેસ ,જામનગરમાં 114 કેસ, ગાંધીનગર અને મહેસાણામાં 48-48  કેસ,ભાવનગરમાં 45 કેસ ,બનાસકાંઠામાં 41 કેસ,અમરેલી અને અને પાટણમાં 34-34 કેસ,કચ્છમાં 30 કેસ, સુરેન્દ્રનગરમાં 28 કેસ, પંચમહાલમાં 27 કેસ ,ભરૂચમાં 27 કેસ નોંધાયા  છે

(8:06 pm IST)