Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

સુરતમાં પીએસઆઇની ભાભીએ અગમ્ય કારણોસર આપઘાત કરતા ચકચાર

સુરત: જાણે હાલ ક્રાઈમનો અડ્ડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે. એક પછી એક સુરતમાંથી ક્રાઈમના અહેવાલો સામે આવી રહ્યા છે. આજે સુરતના રાંદેર પોલીસ લાઇનમાં રહેતા PSIની ભાભીએ તેમની સર્વિસ રિવોલ્વરથી લમણે મારી આપઘાત કરી લીધો હતો. PSIની ભાભીએ આપઘાત કરી લેતા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી નિવેદન લેવાની સાથે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં મળતી માહિતી અનુસાર, PSIની ભાભી કથિત રીતે છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતા, જેથી તેઓએ કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું માનવામાં આવે છે. ઘટનાને પગલે પોલીસના ઉચ્ચઅધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઘટનાને પગલે પાડોશમાં રહેતા લોકોનું પણ નિવેદન લેવામાં આવ્યું છે.

(4:40 pm IST)