Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

રાજ્યમાં સ્વાઈનફ્લૂનો હાહાકાર :છેલ્લા 24 કલાકમાં 375 પોઝિટિવ કેસ નોંધાયા

સૌથી વધી કેસ ગીચ વસ્તીમાં નોંધાયા :225 દર્દીઓ સારવાર હેઠળ :આશાવર્કરોને સર્વેલન્સની કામગીરી સોંપાઈ

અમદાવાદ :રાજ્યભરમાં સ્વાઈન ફલૂએ હાહાકાર મચાવ્યો છે. સરકારી ચોપડા મુજબ સ્વાઈન ફ્લૂથી ચાલુ સિઝનમાં 10 લોકોના મોત થયા છે. છેલ્લા 24 દિવસમાં સ્વાઈન ફ્લૂના 375 પોઝિટીવ કેસ નોંધાયા છે. અને તેમાંથઈ 225 દર્દીઓ સારવાર હેઠળ છે

   રાજ્યમાં સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ કોર્પોરેશનની ગીચ વસ્તીમાં નોંધાયા છે. હાલ આશાવર્કર બહેનોને સર્વેલન્સની કામગીરી સોંપવામાં આવી છે.

(8:25 pm IST)