Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

સુરતમાં મોડી તારે સીટી બસની ઠોકરે ચડતા 13 વર્ષના મેહુલ રબારી નામના સગીરનું મોત : સ્થાનિક લોકોએ આક્રોસમાં બસ પર કર્યો પથ્થરમારો : રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી

સુરત: સુરતમાં મોડી તારે સીટી બસની ઠોકરે ચડતા 13 વર્ષના મેહુલ રબારી નામના સગીરનું મોત નીપજ્યું હતું. જેના પગલે સ્થાનિક લોકોએ આક્રોસમાં આવી બસ પર કર્યો જબ્બર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

સુરતના પાલનપુર જકાતનાકાની ઉગત તકફ જતા રસ્તામાં સીટી બસની અડફેટે 13 વર્ષીય સગીરનું મોત થયું હતું. અકસ્માત થતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દ્વારા બસ પર પથ્થરમારો કરતા મામલો બિચક્યો હતો અને મોટી સંખ્યામાં લોકોના ટોળાએ બસનો ઘેરાવો કરતા બસનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થયો હતો.

સુરતની સીટી બસ દ્વારા અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. ત્યારે ફરી એકવાર અકસ્માત સર્જાતા મોટી પાલનપુર વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોમાં રોષ વ્યાપ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ  13 વર્ષીય સગીરનું મોત થતા પરિવારમાં તંત્ર અને સીટીબસ પર આક્રંદ વ્યક્તિ કર્યો હતો.

(1:08 am IST)