Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ" ને ગેસ આધારીત સ્મશાન માટે દાનવીરોનો સારો સહકાર

તમામ દાતાઓના સહયોગ અને સમાજના યુવાનોની મહેનતથી રાજપીપળામાં એક અદ્યતન સ્મશાન ગૃહ બનશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આકાર લઈ રહેલા ગેસ આધારિત સ્મશાન માટે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ,રાજપીપળાના યુવાનો સતત કામગીરીમાં જોતરાયા છે અને તેમની આ ધગશ અને સેવાકાર્ય માટેની લગન જોઈ એક બાદ એક દાતાઓ તરફથી દાન મળી રહ્યું છે જેમાં અત્યારસુધી માં લાખો રૂપિયા દાન માં મળ્યા છે ત્યારે હાલ વધુ એક દાતામાં ધી.ગવેરમેન્ટ એમ્પ્લોયી ક્રે.સો.લી. દ્વારા "સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ" રાજપીપળા ને ગેસ આધારિત સ્મશાન ગૃહના નિર્માણ માટે ની કામગીરી માટે રૂ.50 હજાર તેમજ સોસાયટી ના ડિરેકટર મહેશભાઈ સોલંકીના પત્ની નમિતા બેન એમ.મકવાણા એ રૂ.11,111/- નું દાન મળતા સ્મશાન ગૃહની કામગીરીમાં વધુ દાન આપનાર દાતાનો સમાવેશ થયો છે,આવનારા દિવસોમાં આ તમામ દાતાઓના સહયોગ અને સમાજના યુવાનોની મહેનતથી રાજપીપળામાં એક અદ્યતન સ્મશાન ગૃહ બનશે.

(11:31 pm IST)