Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

રાજયની આર.ટી.ઓ. અને એ.આર.ટી.ઓ. કચેરી દ્વારા પડતર અરજીઓનો આગામી તા.૨૭ થી ૩૧ દરમિયાન નિકાલ કરાશે

પડતર અરજીઓના નિકાલ માટેના સમય-તારીખની જાણ તેમના મોબાઇલ ઉપર SMS દ્વારા કરાઇ

અમદાવાદ : રાજયની આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતે અરજદારો માટે વાહન સંબંધિત કામગીરી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પધ્ધતિ દાખલ કરવામાં આવી છે. ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પધ્ધતિ અંતર્ગત દ્યણી ફેસલેસ સેવા તથા નોન ફેસલેસ સેવાઓની અરજીઓ એક સાથે કરવામાં આવી છે. જેનું રીશીડ્યુલીંગ શકય ન હોવાના કારણે આવી અરજીઓ પડતર રહેવા પામી છે.

આ પડતર અરજીઓની આગામી તા.૨૭/૭/૨૦૨૦ થી ૩૧/૭/૨૦૨૦ દરમ્યાન તમામ આરટીઓ/એઆરટીઓ ખાતે નિકાલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જેને ધ્યાને લઇ જેની અરજીઓ પડતર હોય તે અરજદારો દ્વારા તેઓના રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલ મેસેજમાં દર્શાવેલ નિયત સમય તથા તારીખે સંબંધિત આરટીઓ/એઆરટીઓ કચેરીઓ ખાતે જરૂરી દસ્તાવેજો સાથે જવાનું રહેશે. કચેરીમાં પ્રવેશ માટે સિકયુરીટી કર્મચારીને અરજદારે SMSમાંથી દર્શાવેલ તારીખ અને સમય બતાવવાનો રહેશે તેમ, સહાયક વાહન વ્યવહાર નિયામક, વાહન વ્યવહાર કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા જણાવાયું છે.

(4:01 pm IST)