Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

અમદાવાદ સહીત મહાનગરોમાં કોરોના વકર્યો :રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 419 નવા કેસ નોંધાયા:વધુ 218 દર્દીઓ સાજા થયા :આજે એકપણ દર્દીનું દર્દીનું મૃત્યુ થયું નથી:કુલ મૃત્યુઆંક 10,946: કુલ 12,16.463 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 43.049 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 2299 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ :ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં આજે કોરોનાના નવા 419 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 218 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12.16.463 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10.946 પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.92 ટકા જેટલો છે.
રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા આજે રાજયમાં વધુ 43.049 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 11.12.06.319 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.રાજ્યમાં હાલ 2299 એક્ટિવ કોરોનાના કેસ છે અને જેમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે,અને 2297 દર્દીઓ સ્ટેબલ છે .
રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 419 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 166 કેસ, સુરત કોર્પોરેશનમાં 62 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 35 કેસ,ભાવનગર કોર્પોરેશનમાં 30 કેસ, સુરતમાં 22 કેસ, વલસાડમાં 13 કેસ,જામનગર કોર્પોરેશનમાં 10 કેસ,નવસારીમાં 9 કેસ, અમરેલીમાં 8 કેસ, ગાંધીનગર કોર્પોરેશન અને રાજકોટ કોર્પોરેશનમાં 7-7 કેસ, ગાંધીનગર, મહેસાણા ,પાટણ અને રાજકોટમાં 5-5 કેસ,અમદાવાદ,અને કચ્છમાં 4-4 કેસ,ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ખેડા, સુરેન્દ્રનગર અને વડોદરામાં 3-3 કેસ, મોરબી, સાબરકાંઠામાં 2-2 કેસ,આણંદ ,ભરૂચ,અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(7:47 pm IST)