Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કફર્યુનો સમય ૧૦ વાગ્યાનો થતા અમદાવાદ - નવસારી – મહુવા – જામનગર - મોરબીની બસોમાં રવિવારથી વધારો

રાજકોટ તા. રપ :.. કોરોનાને કારણે એસ. ટી. તંત્રને રોજની લાખોની ખોટ જઇ રહી છે, પરંતુ રવિવારથી ટ્રાફીક વધશે, હવે ૭પ ટકા મુસાફરોને બેસાડવાની છૂટ તથા કફર્યુ જો સમય રાત્રે ૧૦ વાગ્યાનો થતા અમદાવાદ-વડોદરા-સુરત-જામનગર-મોરબી-નવસારી સહિતના શહેરોની બસો-રૂટોમાં ભારે વધારો થશે તેમ અધિકારી સુત્રોએ ઉમેર્યું હતું.

તેમણે જણાવેલ કે રવિવારથી રાજકોટ - નવસારી રાત્રે ૯ાા ની સ્લીપર કોચ, સવારે ૬ વાગ્યે કૃષ્ણનગર-અમદાવાદ, બપોરે ૧ર.૧પ અમદાવાદ, સવારે ૧૧ વાગ્યે મહુવા, રાત્રે ૯.૩૦ ની મંડોર (પંચમહાલ), તથા કાલાવાડ, મોરબી, જામનગર તરફની બસ સર્વિસોમાં વધારો થશે, ટ્રાફીક વધતા આવકમાં પણ વધારો થશે.

(11:46 am IST)