Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

અમદાવાદના નિકોલમાં પુત્રવધુના ત્રાસથી કંટાળી સાસરાએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

અમદાવાદ: શહેરના નિકોલમાં રહેતા વૃધ્ધે પુત્રવધુના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઝઘડાને કારણે પુત્ર અને પુત્રવધુને અલગ રૃમ આપી દીધો હોવાછતા પુત્ર વધુએ ઘરમાં રહેવું ભારે પડશે, એવી ધમકી આપી હતી. અંગે નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ નિકોલમાં ગ્રીનલેન્ડ રેસીડેન્સીમાં રહેતા અશ્વિનભાઈ .ચૌહાણ૯૫૯) મકાન લે-વેચનો વ્યવસાય કરે છે. તેમના પરિવારમાં પત્ની, પુત્ર જોય અને પુત્રવધુ મર્લીનનો સમાવેશ થાય છે. ૨૦૧૮માં પુત્રના લગ્ન બાદ મર્લીનને તેમના સાસુ કોઈ કામ બતાવે તો કરતા હતા. મર્લીન તેની બહેન મીનુ અને બનેવી વિશાલની ચઢામણીથી સાસુ સસરાને પરેશાન કરતી હતી. મર્લીનના ત્રાસને કારણે અશ્વિનભાઈએ મકાનનો એક રૃમ પુત્ર અને પુત્રવધુને આપી દીધો હતો.

(5:11 pm IST)