Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે જીવન ટૂંકાવ્યું અમિત લીંબાચીયાએ દુકાનમાં ગળેફાંસો ખાદ્યો :અરેરાટી

વ્યાજખોર છેલ્લા 1 વર્ષથી હેરાન કરતા હોવાનો આરોપ

મહેસાણામાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે જીવન ટૂંકાવ્યું હતુ. અમિત લીંબાચીયા નામના યુવકે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. વ્યાજખોર છેલ્લા 1 વર્ષથી હેરાન કરતા હોવાનો આરોપ લાગ્યો છે. પોલીસને એક વર્ષ અગાઉ અરજી આપવામાં આવી હતી. અરજીમાં દર્શાવેલા વ્યાજખોરો સામે કોઈ પગલાં પોલીસે લીધા હોવાનો આક્ષેપ છે. 1 વર્ષથી સતત ટોર્ચર થતો હોવાને કારણે પોતાની દુકાનમાં આપઘાત કરતા અરેરાટી ફેલાઈ છે 

   અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર ગુજરાતમાં પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે અનેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.

(8:47 am IST)