Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

બીલીમોરામાં વિશ્વાસઘાત કરી બીજા લગ્ન કરનાર પતિ વિરુદ્ધ પરિણીતાએ ફરિયાદ નોંધાવી

બીલીમોરા:માં પોતાના યુવાન પુત્ર સાથે રહેતી મહિલાએ વર્ષોથી અલગ રહેતાં તેના પતિ સામે પોતાની સંમતિ વિના અન્ય સ્ત્રી સાથે બીજા લગ્ન કરી લઇ વિશ્વાસઘાત કરવાની પોલીસમાં ફરિયાદ આપતાં ચકચાર મચી છે. પોલસે પતિ વિરૃદ્ધ વિશ્વાસઘાત અને શારીરિક- માનસિક ત્રાસ આપવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગણદેવી તાલુકાનાં મોહનપુર ગામની મિનાક્ષી (ઉ.વ. ૪૬)ના લગ્ન ૨૫ વર્ષ અગાઉ ૧૯૯૩માં ગણદેવી તાલુકાના વણગામ ખાતે રહેતા અરવિંદ સાથે થયા હતા. લગ્ન બાદ મિનાક્ષી પતિના ઘરે ગયા હતા. પ્રારંભમાં લગ્નજીવન સુખી  વ્યતિત થતું હતું. તેમને એક પુત્ર ભાર્ગવ (ઉ.વ. ૨૫) જન્મ્યો હતો પરંતુ વિદેશમાં નોકરી હોવાથી અરવિંદ મોટાભાગે ઘરે નહીં રહેતા પતિ-પત્ની વચ્ચે મનમેળ જામ્યો ન હતો.

આથી  મિનાક્ષી પોતાના પુત્ર સાથે બીલીમોરા ખાતે એકલા રહેવા લાગ્યા હતા. તેમણે પોતાના પુત્ર ભાર્ગવને બી.ઇ. સીવીલ એન્જિનીયરીંગનો અભ્યાસ કરાવ્યો હતો. વર્ષોથી અલગ રહેતા પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં થતાં અરવિંદભાઇ પટેલે ગણદેવી કોર્ટમાં છુટાછેડાની અરજી વર્ષ ૨૦૧૩માં કરી હતી પરંતુ સતત નોકરી અર્થે વિદેશમાં હોવાથી કોર્ટમાં હાજર નહીં રહેતાં કોર્ટે અરજી કાઢી નાંખી હતી.

(6:25 pm IST)