Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

કરમસદના પંચવટી નજીક રીક્ષા પલ્ટી ખાતા ચાલકનું સારવાર દરમ્યાન મોત

આણંદ:સોજીત્રા રોડ ઉપર આવેલા કરમસદની પંચવટી પાસે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી સીએનજી રીક્ષા પલટી મારી જતાં ચાલકનું સારવાર દરમ્યાન મોત થયુ હતુ જ્યારે મહિલાને ઈજાઓ થવા પામી હતી. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર ફરિયાદી રમીલાબેન જશભાઈ ઠાકોર ગઈકાલે રાત્રીના દશેક વાગ્યાના સુમારે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ સામે આવેલી દુકાને ઉછીના પૈસા લેવા જવાનું હોય પોતાના પુત્ર પ્રકાશભાઈ સાથે જનતા ચોકડીએ આવ્યા હતા અને ત્યાંથી રવિ મારવાડીની સીએનજી રીક્ષા નંબર જીજે-૨૩, ડબલ્યુ-૬૧૯૨માં સવાર થઈને નીકળ્યા હતા. દરમ્યાન પંચવટી-સંદેશર ચોકડી પાસે રીક્ષા ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી જેમાં રવિ મારવાડી અને રમીલાબેનને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રવિ મારવાડીનુ અવસાન થયું હતુ. 

(6:24 pm IST)