Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આણંદ નજીક વિદ્યાનગરમાં પરિણીતા પર ઘરકામ બાબતે ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

આણંદ: નજીક આવેલા વિદ્યાનગર ખાતે રહેતી એક પરિણીતાને તેના પતિ અને સાસુએ ઘરકામ તેમજ કરિયાવર બાબતે મેણાં ટોણા મારીને શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર રાજુલા તાલુકાના છતડીયા રોડ ગામે રહેતી પુજાબેનના લગ્ન વિદ્યાનગર ખાતે રહેતા પ્રતિકભાઈ રાજેશભાઈ જોષી સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદથી જ પતિ તેમજ સાસુ રેખાબેન દ્વારા ઘરકામ તેમજ કરિયાવરમા કાંઈ લાવી નથી તેવા મેણા ટોણા મારીને તેણી પર શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. 
સાસુની ચઢવણીથી પતિ દ્વારા તેણીને ઢીંકાપાટુનો માર મારવામાં આવતો હતો. જેના કારણે તેણી પોતાની પીયર ચાલી ગઈ હતી અને ત્યાંથી રાજુલા પોલીસ મથકે જઈને પોતાની ફરિયાદ આપી હતી. ત્યાંથી આ ગુનો આણંદના મહિલા પોલીસ મથકે ટ્રાન્સફર થતાં પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

(6:24 pm IST)