Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

નરોડા પાટિયા કેસમાં ત્રણેય આરોપીને 10 વર્ષની સજા ફટકારતી હાઇકોર્ટ

હાઇકોર્ટે મુકેશ જાદવ, રાજકુમાર ચૌમાલ અને પરમેન્દ્ર જાદવને દોષિત જાહેર કરતાં 10 વર્ષની સજા ફટકારી

અમદાવાદ : બહુચર્ચિત નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઇકોર્ટે ત્રણ આરોપીઓને 10 વર્ષની સજા ફટકારી છે. એવું જાણવા મળી રહ્યું છે કે, જે ત્રણ શખ્સોને નીચલી કોર્ટે નિર્દોષ છોડી મુક્યા હતા એ પૈકીના ત્રણને આજે હાઇકોર્ટે સજા ફટકારી છે. 

શહેરના નરોડા પાટિયા હત્યાકાંડમાં ગુજરાત હાઇકોર્ટે આજે મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. હાઇકોર્ટે મુકેશ જાદવ, રાજકુમાર ચૌમાલ અને પરમેન્દ્ર જાદવને દોષિત જાહેર કરતાં 10 વર્ષની સજા ફટકારી છે. એવું કહેવાય છે કે, હાઇકોર્ટે પોલીસની જુબાની અને અન્ય વધુ સાક્ષીઓની જુબાનીને પગલે આ ચૂકાદો આપ્યો છે. 

(1:01 pm IST)