Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

વડોદરા:સોશિયલ મીડિયા પર સગીર વિદ્યાર્થિનીને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજારનાર નરાધમ યુવક વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરાઃ સોશ્યલ મીડિયા પર સગીર હિન્દુ વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ તેમજ બળાત્કાર ગુજારનાર યુવક અને તેના માતા-પિતા સામે જવાહરનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સગીર હિન્દુ વિદ્યાર્થિની સાથે એક કુટુંબીજન મારફતે પરિચય થયા બાદ ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા ફરદીન ફિરોજ સિંધા (વારિસ પાર્ક,મધુનગર પાસે,ગોરવા)એ તેની  સાથે સોશ્યલ મીડિયા પર સંપર્ક કર્યો હતો.વિદ્યાર્થિની સાથે સામાન્ય વાતચીત  બાદ તેને પ્રેમજાળમાં ફસાવી હતી. માર્ચ મહિનામાં સગીર વિદ્યાર્થિનીને બહાર લઇ ગયો હતો અને બળાત્કાર ગુજાર્યો હતો.ત્યારબાદ બે દિવસ પહેલાં સાંજે પીડિતાનું તેના ઘેરથી અપહરણ કર્યું હતું.જેથી વિદ્યાર્થિનીના ઉચ્ચ શિક્ષિત પિતાએ પોલીસને જાણ કરી હતી. જવાહરનગરના ઇન્ચાર્જ પીઆઇ એસ એસ આનંદે તપાસ કરતાં વિદ્યાર્થિની યુવકને ઘેર હોવાની વિગતો જાણવા મળી હતી.જેથી પોલીસે ફરદિનને ત્યાંથી પીડિતાને છોડાવી હતી.પીડિતાને લગ્નની લાલચ આપી ફરદિન પોતાને ત્યાં લઇ ગયો હોવાની વિગતો ખૂલતાં પોલીસે ફરદિન તેમજ સગીર વયની કન્યાને ઘરમાં રાખનાર તેના પિતા ફિરોજ સિંધા અને માતા સલમા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:32 pm IST)