Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલા પાઝિટીવ નથી

પુત્રએ અંતે સ્પષ્ટતા કરી

અમદાવાદ, તા. ૨૫ : જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલા કોવિડ-૧૯નો શિકાર બન્યા હોવાના અહેવાલ વહેતા થયા હતાં. ત્યારે તમામ અટકળો પર બેજાન દારૂવાલાના પુત્ર નાસ્તૂર દારૂવાલાએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, બેજાન દારૂવાલાને કોરોના નથી થયો. તેઓ લંગ ઇન્ફેક્શનથી પીડાય છે અને તેમની હાલત સ્થિર છે. બેજાન દારૂવાલાની તબિયતની જાણકારી આપતા નાસ્તુર દારૂવાલાએ જણાવ્યંું કે, દિવસ પહેલા તેમને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ન્યુમોનિયા અને શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી.

        હાલ તેઓ વેન્ટિલેટર પર નથી અને તેની હાલત સુધારા પર છે. શનિવારે સાંજે સોશિયલ મીડિયા પર અફવા ઊઠી હતી કે, બેજાન દારૂવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમના પુત્ર નાસ્તૂર દારૂવાલાએ કહ્યું, મારા પિતા લંગ ઇન્ફેક્શન અને ન્યુમોનિયાથી પીડાય છે. અમુક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમને કોરોના છે, વાત તદ્દન પાયાવિહોણી છે. હાલમાં મેં તેમની સાથે વિડીયો કોલ પર વાત કરી હતી અને તેઓ સ્વસ્થ જણાતા હતા.

(9:36 pm IST)