Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકસેવા સાથે લેવાદેવા નથી એવી કોંગ્રેસ અકારણ વિવાદ ઉભા કરીને બેબૂનિયાદ આક્ષેપ કરવામાં રાચે છે:ભરત પંડ્યા

કોંગ્રેસ કોરોના વોરીયર્સ સામે સીધો કે આડકતરો આક્ષેપ કરીને હતાશાનું વાતાવરણ ઊભું કરવાં માંગે છે

 પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ : પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સિવિલ હોસ્પિટલનાં કોરોના વોરીયર્સ સામે સીધો કે આડકતરો આક્ષેપ કરીને હતાશાનું વાતાવરણ ઊભું કરવાં માંગે છે.સિવિલમાં ડોકટર્સ, નર્સ, પેરામેડીકલથી માંડીને સફાઈ કામદારો સુધીનો સ્ટાફ પોતાનો જાન જોખમમાં મુકીને કોરોના દર્દીની સારવાર કરી રહ્યાં છે. કેટલાંક તો તેમનાં પરીવારને પણ મળી શકતાં નથી. અને કેટલાંકને પોતાને કોરોના પોઝીટીવ આવ્યો હોવાં છતાંય ભયભીત થતાં નથી. આવાં કોરેના વોરીયર્સને પ્રોત્સાહિત કરવાંને બદલે કોંગ્રેસ તેમને હતોત્સાહ કરવાનું કામ કરીરહી છે. તે યોગ્ય નથી.

 ભરત પંડયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રીનીતિનભાઈ પટેલ આગેવાનીમાં ચાલતી રાજ્ય સરકારે લાખો કરોડો રૂ. ની યોજનાઓ ,સહાય પેકેજ કરોડો લોકો સુધી સીધેસીધાં તેમનાં ખાતામાં રુપિયા જમા કરીને પહોંચાડી રહી છે. કોંગ્રેસનાં ભ્રષ્ટ અને કુશાસનમાં લાભાર્થીઓ અને વિકાસનાં 85% નીચે સુધી પહોંચતાં જ ન હતાં. તે જનતા જાણે છે.

  ભરત પંડ્યા એ આજે કેન્દ્ર  અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ પૈકી કેટલીક યોજનાઓનો  ભરત પંડ્યા એ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે જયારે ભાજપનાં શાસનમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ હેઠળ ગુજરાતનાં ૪૭,૮૧,૪૨૬ ખેડૂત લાભાર્થીઓને સીધે સીધાં ૨૦૦૦ રૂ. જમા કરવામાં આવ્યાં છે.
  ગુજરાતમાં વિવિધ સહાય પેકેજ હેઠળ વિવિધ યોજનાઓ દ્વારા ૩૫,૧૯,૯૦૪ ખેડુતોને ૨૪૯૦ કરોડ રૂ. ચૂકવવામાં આવ્યા, હજુ ટેકાનાં ભાવે ખરીદી ચાલૂ છે.ગુજરાતનાં ૮૦% લોકોને વિનમૂલ્યે અનાજ પહોંચાડવાનું ભગીરથ કામ રાજ્ય સરકારે કર્યું છે.
  કેન્દ્ર દ્વારા રાજ્યની ૭૪ લાખ મહિલાઓનાં બેંક ખાતામાં સીધા ૫૦૦ રૂ. જમા કરવાનો નિર્ણય હોય કે ૨૮ લાખ મહિલાઓને ઉજ્જવલા યોજના દ્વારા ૩ મહિના સુધી મફ્તમાં ગેસ સિલિન્ડર આપવાની યોજના હોય.   ૬૮.૮૦ લાખ શ્રમિકોને કુંટુંબોને કુંટુંબ દીઠ રૂ. ૧૦૦૦ DBT દ્વારા તેમનાં સીધે સીધાં બેંક ખાતામાં જમા કરાવીને ૬૮૮ કરોડનું આર્થિક ભારણ ઉઠાવવાનો નિર્ણય લીધો છે.
 આંગણવાડીનાં ૧૫.૭૦ લાખ બાળકો અને શાળાંના ૫૧.૭૨ લાખ વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન સહાયના પૈસા રૂ. ૬૨.૧૦ કરોડ આપવામાં આવ્યા. આદિજાતિ એસ.ટી, એસ.સી હોસ્ટેલ, છાત્રાલયોનાં ૨,૦૭૮૩૬ વિદ્યાર્થીઓને પણ ૧૫૦૦-૧૫૦૦ રુા. લેખે કુલ ૩૧.૧૮ રૂ. કરોડ આપવામાં આવશે..ગૌ શાળા અને પાંજળાપોર માટે ૪.૫ લાખ ગાયોના નિભાવ માટે પશુદીઠ પ્રતિદિન રૂ. ૨૫ ની સહાય ચૂકવવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.
નાના દુકાનદારો, કારીગર વર્ગ, લારીવાળાઓ સહિત લોકોને બેંક દ્વારા રૂ. ૧ લાખની લોનમાં ૬% વ્યાજ સરકાર પોતે ભરશે અને માત્ર ૨% વ્યાજ જે તે લોન ધારકોને આપવાનું રહેશે.આ પ્રકારના નિર્ણય રાજ્ય સરકારે લીધા છે.
આરોગ્યલક્ષી સુવિધાઓમાં કોરોનાની પરિસ્થિતિમાં અને આયુષ્માન કાર્ડ દ્વારા વિના મૂલ્યે લોકોની સારવાર થઈ રહી છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ની સરકારે આ પ્રકારનાં અનેક જનહિત , જનકલ્યાણ અને જનસુવિધાનાં  પારદર્શક નિર્ણયો-યોજનાઓ-સહાય-પગલાંઓલીધાં છે. ત્યારે કોંગ્રેસ સરકાર સામે  અપ પ્રચાર અને જુઠા આક્ષેપ કરવાનું બંધ કરે.તેમ ભરત પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

(7:04 pm IST)