Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

મહુધા તાલુકાના અલીણામાં અગમ્ય કારણોસર ઉશ્કેરાયેલ પિતાએ પુત્રના માથા પર ધોકાના ઘા જીકતા થયેલ હત્યાથી ચકચાર મચી જવા પામ્યો

મહુધા:તાલુકાના અલીણા ગામે ગત મોડી રાતે  બહેના ઘરથી પરત આવેલા પોતાનામાતા- પિતાને ઓળખવા અંગે બોલાચાલી થઇ હતી.બોલાચાલી ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પિતાએ પુત્રના માથામાં ધોકાના ઘા ઝીંકી પોતાના સગા પુત્રની હત્યા કરતા ચકચાર મચી છે. બનાવ અંગે મહુધા પોલીસે પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અલીણાના સાંકળીયાનીમૂવાડીમાં રહેતા ડાહીબેન અને શકરાભાઇ આણંદ જિલ્લાના વલાસણ ગામે રહેતી પોતાની પુત્રી સરોજબેન નરસિંહભાઇ પરમારને મળવા ગયા હતા. પરંતુ  લોકડાઉન થવાના કારણે તેો દિકરીના ઘરે ફસાઇ ગયા હતા.પરંતુ ત્રણેક દિવસ અગાઉ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાફેર થવાની છુટ મળતા દિકરી અને જમાઇ તેઓને સાંકળીયાની મૂવાડી ખાતે  મૂકવા માટે આવ્યા હતા. સમયે શકરભાઇના પુત્ર વિષ્ણુભાઇ અને પરિવારના સભ્યોએ તેમને ઓળખવાની ના પાડી દીધી હતી. બાબતે  બોલાચાલી થઇ હતી.બોલાચાલી ઉગ્ર બનતા આણંદથી મૂકવા આવેલ સરોજબેનને તેના ભાઇએ ગડદાપાટુનો માર માર્યો હતો.પરિવારના સભ્યો છોડાવવા માટે વચ્ચે પડયા હતા ત્યારે વિષ્ણુભાઇએ બધાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અને તે ઘરમાં ભાલો લેવા ગયા હતા. ભાલો લેવા ગયેલ વિષ્ણુભાઇ નીચે નમતા પિતા શકરાભાઇએ હાથમાં રહેલ ધોકો માથામાં ઉપરા છાપરી મારતા  વિષ્ણુભાઇનુ સ્થળ પર મૃત્યુ નિપજયુ હતુ. બનાવ અંગે ડહીબેન શકરાભાઇ પરમારે પતિ શકરાભાઇ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે મહુધા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(6:12 pm IST)