Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

લોકડાઉન વચ્ચે આજે અમદાવાદ અરેપોર્ટ ઉપર પ્રથમ ફલાઇટનું આગમનઃ લખનઉથી યાત્રીકો આવ્યા

અમદાવાદ તા. રપ : આજથી એરપોર્ટ પરથી રોજની ૯૦ ફલાઇટ ઓપરેટ થશે ૪પ ફલાઇટ અન્ય રાજયોમાં જશે તો ૪પ ફલાઇટ અમદાવાદ એરપોર્ટ પર અન્ય રાજયોમાંથી આવશે. સવારે ૬ વાગ્યે પ્રથમ ફલાઇટ તો રાત્રે ૧૦-૧પ વાગ્યે છેલ્લી ફલાઇટ અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરશે.

કોઇ પેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઇસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાશે. જે મુસાફરોમાં સામાન્ય અથવા તો ગંભીર લક્ષણો દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરાશે. જે મુસાફરોમાં કોરોનાના લક્ષણો જણાશે તેમને હોય આઇસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઇસોલેશનનો વિકલ્પ અપાશે. સરકારી કે ખાનગી કવોરેન્ટાઇન પછી આઇસીએમઆર ના પ્રોટોકોલ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરાશે. આઇસોલેશનના સમયગાળા દરમિયાન મુસાફર જો કોરોના પોઝિટીવ જણાશે તો તેમને કિલનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં મુકાશે.

દરેક મુસાફરનું બોર્ડિંગ પહેલા ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. એસ્મ્પ્ટિોમેટિક મુસાફરને જ માત્ર ફલાઇટસમાં મુસાફરી કરવાની પરવાનગી અપાશે એરપોર્ટ ટર્મિનલને નિયમીતી રીતે સેનિટાઇઝ કરાશે. એરપોર્ટથી નીકળતા સમયે તમામ મુસાફરનું થર્મલ સ્ક્રિનિંગ કરાશે.

જો કોરોનાના કોઇ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલીક જિલ્લા સર્વેલન્સ ઓફીસરને જાણ કરવાની રહેશે રાજય કે રાષ્ટ્રની હેલ્પલાઇન ૧૦૪ કે ૧૦૭પ પર પણ રાજયના આવેલા મુસાફરો સંપર્ક કરી શકશે. લેટેસ્ટ મળેલી માહિતી મુજબ પહેલું પ્લેન લખનઉથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યું અને ત્યારબાદ બેંગલુરૂથી અમદાવાદ ડોમેસ્ટિક એરપોર્ટ પર ફલાઇટ આવી પહોંચી છે.

અમદાવાદ એરપોર્ટ પર પહેલું પ્લેન લેન્ડ થયું. લખનઉથી આવેલા આ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોમાં ખુશી જોવા મળી તેમણે એરપોર્ટ પર અપાયેલી તમામ સુવિધાઓને લઇને સંતોષ વ્યકત કર્યો. મુસાફરો પોતાના ઘરે પહોંચી શકે તે માટે ટેકસીઓ પણ એરપોર્ટ પહોંચી છે.

(5:57 pm IST)