Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ખાનગી બસોમાં મુસાફરોની હેરફેર અટકાવવા સૂચના

રાજકોટ તા. રપઃ રાજય સરકારે માત્ર એસ.ટી.ની બસોને મુસાફરોના પરિવહન માટે છુટ આપી છે તે સિવાઇની ખાનગી અનઅધિકૃત બસો મુસાફરોને લઇને નીકળે તો રોકવા ગૃહ વિભાગના ઉપસચિવ પંકજ દવેની સહીથી પોલીસ જોગ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, ગૃહ વિભાગના તા. ૧૮-૦પ-ર૦ર૦ના જાહેરનામાંથી કરવામાં આવેલ હુકમ અનુસાર રાજયમાં સક્ષમ સત્તાધિકારીની મંજુરી સિવાય ખાનગી બસોને પરિવહનની મંજુરી આપવામાં આવેલ નથી. આમ છતાં જો મુસાફરોની હેરફેર માટે ખાનગી બસો રોડ ઉપર ફરતી જોવા મળે તો તેને ડિટેઇન કરી નિયમાનુસારની કાર્યવાહી કરવી.

(10:30 am IST)