Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

મોદીની સુખ-સમૃદ્ધિ માટે રોઝા રાખ્યા છે, ભાજપ જીતતા અજમેર શરીફ જઇશઃ વડનગરના વડાપ્રધાના મિત્ર જાસુદ પઠાણ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભાજપના જ્વલંત વિજય થતા ભારે ઉત્સાહ છવાયો છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના વડનગરના બાળપણના મિત્ર જાસુદભાઇ પઠાણ (ઉ.વ.૭૦) અજમેર શરીફની દરગાહે જવાની માનતા રાખી હતી જે પૂર્ણ કરવા જશે.

નરેન્‍દ્રભાઇ મોદી સાથે ધો.૧થી ૧૧ સુધી અભ્યાસ કરનાર જાસુદભાઇ પઠાણે જણાવ્યું હતું કે મોદીની સુખ-સમૃદ્ધિ માટે રોઝા રાખ્યા છે અને દેશમાં નોકરી વધે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું છે.

(5:24 pm IST)