Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

છોટા ઉદેપુરના બારીયા રોડ પાસે ટ્રક ઘરમાં ઘુસી જતા ત્રણના મોત

ઓસરીમાં સુતેલા ત્રણ લોકો ઉપર ટ્રક ફરી વળ્યો : ડ્રાયવર ફરાર : રોષે ભરાયેલ ટોળાની ટ્રકમાં તોડફોડ

છોટા ઉદેપુરના બારીયા રોડ પાસે એક ટ્રક મકાનમાં ઘૂસી જતા ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે આ અંગે મળતી વિગત મુજબ બારીયા રોડ ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રોડ પાસેના એક ઘરમાં ટ્રક ઘુસી ગયો હતો. ઘરના આગળના ભાગમાં આવેલ ઓસરીમાં ત્રણ વ્યક્તિઓ સુતા હતા.જેમાં એક મહિલા, પુરૂષ અને બાળકનું ટ્રક અકસ્માતમાં મોત નિપજ્યું છે

   આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઇવર ટ્રક મુકીને ફરાર થઇ ગયો છે. જો કે દૂર્ઘટના બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ટોળાએ ટ્રકમાં તોડફોડ કરી હતી.

  આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી દીધી હતી. પોલીસે અકસ્માત ચાલક વિરુધ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:11 am IST)