Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

આંકલાવમાં અપશબ્દો બોલવા બાબતે રાત્રીના સુમારે ઝઘડો કરી બે મહિલાને માર મારતા ફરિયાદ

આંકલાવ: શહેરના બાલમશાપીરની દરગાહ નજીક રહેતા સવિતાબેન તથા તેમનો પુત્ર મેહુલભાઈ ગત ૨૨મી તારીખના રોજ રાત્રીના સાડા અગિયાર વાગ્યાના સુમારે ઝઘડો કરીને ગમે તેવી ગાળો બોલતા હતા જેથી નજીકમાં જ રહેતા ટીનીબેન કનુભાઈ ફુલમાળી તળપદા પોતાના ઘરે મહેમાન આવ્યા હોય સવિતાબેનના ઘેર ગયા હતા અને ગાળો બોલવા બાબતે ઠપકો કર્યો હતો. જેથી બન્નેએ ગમે તેવી ગાળો બોલી હતી. 

દરમ્યાન સંજયભાઈ વિઠ્ઠલભાઈ તળપદા તથા વિઠ્ઠલભાઈ કેશવભાઈ તળપદા આવી ચઢ્યા હતા અને સંજયે પોતાની ઈંટનો ટુકડો લઈને ટીનીબેનને કપાળના ભાગે મારી દીધો હતો. શારદાબેન વચ્ચે પડતાં મેહુલે પણ તેમને ઈંટનો ટુકડો મારીને ઈજાઓ પહોંચાડી હતી. 

(6:30 pm IST)