Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

અમદાવાદમાં ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષા નિહારિકા પંડ્યાનો આપઘાતનો પ્રયાસ :ચકચાર

 

અમદાવાદ લોકસભાની ચૂંટણી નજીક હોવાથી રાજ્યમાં રાજકારણનો માહોલ ગરમાયો છે ત્યારે અમદાવાદમાં ભાજપના ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષા નિહારિકા પંડ્યાએ  આપઘાત કરવાનો પ્રયાસ કર્યાનું  બહાર આવતા ચકચાર જાગી છે

  ઘટનાની જાણ થતા નિહારિકા પંડ્યાને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

     અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં રહેલા ભાજપના મહિલા મોરચાના અધ્યક્ષા નિહારિકા પંડ્યાએ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે,

   પોલીસ દ્વારા પ્રાથમિક વિગતો નોંધઈ ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે, જો કે નિહારિકા પંડ્યાએ કેમ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો તે અંગે હાલ કોઇ વિગત સામે આવી નથી.

(12:46 am IST)