Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

નર્મદા મેઇન કેનાલનું પાણી સૌરાષ્‍ટ્ર જતુ અટકાવવાની ચીમકી આપનાર ભીલી સ્‍તાન લાયન સેનાના સાત સભ્‍યોની નસવાડી તાલુકાની બરોલી નર્મદા ગેટ પાસે અટકાયત

નસવાડી: નર્મદાના મેઇન કેનાલનું પાણી સૌરાષ્‍ટ્ર તરફ જતુ અટકાવવાની ચીમકી આપનાર ભીલી સ્‍તાન લાયન સેનાન સાત સભ્‍યોની તંત્ર દ્વારા નસવાડે તાલુકાના બરોલી નર્મદા ગેટ પાસે અટકાયત કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ સેનાએ નર્મદા મેનકેનાલનું પાણી સૌરાષ્ટ્ર તરફ જતું અટકાવવા માટે  ગેટ બંધ કરવાની ચીમકી આપી હતી. અગાઉ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. જોકે ચીમકીને આધારે જિલ્લા પોલીસ વડા સહિત 50 જેટલા પોલીસ બરોલી ગેટ પાસે તૈનાત કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ સિંચાઇના પાણી માટે સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.

(12:47 am IST)