Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ખંભાત જેવી ઘટનાઓ સાથે લેવાશે નહીં કડક હાથે કામ લેવાશે: મુખ્યમંત્રી રૂપાણી ની સ્પષ્ટ વાત

આવી ઘટનાઓને મક્કમતાથી ડામી દેવા રાજ્ય સરકાર કટિબદ્ધ : ગૃહવિભાગ અને પોલીસ તંત્રને સૂચના

અમદાવાદ : મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણીએ આણંદના ખંભાતમાં થયેલી ઘટના અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાજ્ય સરકાર આવી કોઈ ઘટના સાંખી લેશે નહીં અને કડક હાથે કામ લેવામાં આવશે

 તેમણે કહ્યું કે ગૃહ મંત્રીએ સમગ્ર ઘટનાની વિગતો મેળવી છે એટલું જ નહીં રાજ્યના પોલીસ મહા નિદેશક પણ ખંભાત પહોંચ્યા છે રાજ્ય સરકાર આવી ઘટનાઓ ને મક્કમ હાથે ડામી દેવા કટિબદ્ધ છે

 વિજય ભાઈ રૂપાણીએ સ્પષ્ટ પણે કહ્યું કે ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહ વિભાગ અને પોલીસ તંત્રને સૂચનાઓ આપી છે

(6:02 pm IST)