Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર વિરમગામનો 11મો પાટોત્સવ ઉજવાયો

કોઠારી સ્વામી સહિત સંતો, હરિભકતોની ઉપસ્થિતિમાં વેદોક્ત વિધિથી પાટોત્સવની ઉજવણી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ :અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરમાં મુનસર રોડ પર આવેલા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો 11મો પાટોત્સવ ઉજવાયો હતો. ફાગણ સુદ બીજને મંગળવારે પુજ્ય કોઠારી સ્વામી, સંતો, હરિભક્તોની ઉપસ્થિતિમાં વેદોક્ત વિધી પ્રમાણે  શ્રી સ્વામિનારાયણ મંદિર વિરમગામના 11માં પાટોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે મહાપુજા અને કથાવાર્તા કરવામાં આવી હતી.

 પાટોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન ઉપરાંત મહાપ્રસાદનો લાભ લીધો હતો. પાટોત્સવના યજમાન ડૉ.ભરતભાઈ ભીખાભાઇ ગજ્જર, અલ્પેશભાઇ ભીખાભાઇ ગજ્જર બન્યા હતા.

(1:45 pm IST)