Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

પ્રાંતિજ તાલુકાના કમાલપુરમાં પુરવઠાની પાઇપ લાઈનમાં લીકેજ થતા ખેતરમાં પાણી ફરી વળ્યાં: ફુલાવરના પાકને ભારે નુકશાન પહોંચતા ખેડૂતોમાં દુઃખની લાગણી

પ્રાંતિજ:તાલુકાના કમાલપુર ગામ પાસેથી પસાર થતી પાણી પુરવઠાની પાઈપ લાઈનમાં શુક્રવારના રોજ પાઈપ લીકેજ થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જયારે કમાલપુરના ખેડૂતના ફૂલાવરના પાકમાં પાણી ફરી વળતાં બે વિઘા જેટલી જમીનમાં પાણી ફરી વળતાં તેના પાકમાં નુકસાન જવાની ભીતી સેવાઈ રહી છે.જયારે ગલતેશ્વર જવાના પૂલ પર પાણી ભરાઈ જતાં લોકોને જવા-આવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામ પાસેથી પાણી પુરવઠાની પાઈપ લાઈન પસાર થાય છે.શુક્રવારના રોજ બપોર ગલતેશ્વર જવાના રોડ પર પ્રવિણભાઈ કાન્તિભાઈ પટેલના ખેતરમાં થઈને પસાર થતી આ પાઈપ લાઈન લીકેજ થતાં તેમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો.

(4:47 pm IST)