Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

મોદીજીને લસણ-ડુંગળીના ભાવો સસ્તા કરવા વડાપ્રધાન નથી બનાવાયાઃ સાધ્વી ઋતંભરા

તેઓ ભારતને ભારત બનાવી રાખવા માટે વડાપ્રધાન થયા છે

ડાકોર તા. રપ :.. મોદીને લસણ-ડુંગળીના ભાવો નિયંત્રિત કરવા માટે નહીં પણ ભારતને ભારત બનાવવા પ્રધાન બનાવ્યા છે. ભારતવાસી સૌ રાષ્ટ્રનિર્માણના આ કાર્યમાં લાગે એવો સંદેશ ખેડા જિલ્લાના મહિસા ગામે વાત્સલ્ય ગ્રામ ખાતે સવિંદ ગુરૂકુલના ઉદઘાટન સમયે રાખવામાં આવેલા કાર્યક્રમમાં પૂ. દીદીમાના હુલામણા નામથી જાણીતા તેજતર્રાર સાધ્વી ઋતંભરાજીએ કહયા છ.

સાધ્વી ઋતંભરાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે મારો સંદેશ સૌ સુધી પહોંચાડી દો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને વડાપ્રધાન બનાવ્યા છે, તે અમારા રાજા છે. તેઓ નેતૃત્વ કરી રહ્યા છે દેશનું. દેશવાસીઓએ સમજવું જોઇએ કે લસણ-ડુંગળી સસ્તા કરવા માટે વડાપ્રધાન નથી બનાવાયા. તેઓ ભારતને ભારત બનાવી રાખવા માટે વડાપ્રધાન થયા છે. એકસંપ થઇને સંગઠીત ને એકમતિ એકગીત રાષ્ટ્રના નિર્માણમાં લાગ્યા રહો. ભારતમાં હાલ મોદી વિરોધી લહેર ચાલે છે. કયાંક મોંઘવારીને લઇને તો કયાંક કલમ ૩૭૦ અને સીએએ અને એનઆરસીનો વિરોધ વંટોળ ચાલ્યો છે. બીજેપી સરકાર અને સંગઠન પણ નવા વિપક્ષી સમીકરણો અને કાર્યક્રમોનો સામનો કરવામાં નિષ્ફળ જણાઇ રહ્યા છે. ત્યારે રામ મંદિર આંદોલનથી હિન્દુ હૃદયમાં અગ્રમી સ્થાન પામેલાં સાધ્વી ઋતંભરાદેવીજીએ ફરી બીજેપી અને એમાં પણ નરેન્દ્ર મોદીને આંચ ન આવવી જોઇએ એવો લોકસંદેશ વહેતો કરી રાજકીય માહોલ ગરમ કર્યો છે. તેઓ મોદી જ ભારતને સાંસ્કૃતિક ગરીમાથી પુર્ણ ભારત બનાવી શકે છે. એવો નિર્ધાર વ્યકત કરી વિપક્ષી પાર્ટીઓના આરોપો અને આક્ષેપોના તાણાવાણા તોડવા મેદાને પડયા હોવાનું પ્રદર્શિત થઇ રહ્યું છે.

(11:29 am IST)