Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

નર્મદા જિલ્લામાં મંગળવારે 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 1487 પર પહોંચ્યો.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામા મંગળવારે 23 કોરોના પોઝિટિવ કેસ જોવા મળ્યા છે જેમાં રાજપીપળા શહેરના લાલ ટાવર-04,દરબાર રોડ- 02, વડિયા પલેસ-01,એમ.વી રોડ-01,ભાટવાડા -01 સોનિવાડ-01,નાંદોદ તાલુકાના વડિયામાં-01,નિકોલી - 02,ભદામ -01,ગરુડેશ્વર ટેન્ટ સીટી,કેવડીયા કોલોની- 04,ગરુડેશ્વર-01,અન્ય ડિસ્ટિક-03,જ્યારે સાગબારામાં- 01 મળી જિલ્લામાં કુલ 23 દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મરણ પામેલા દર્દી ની કુલ સંખ્યા-૦૩ છે,15 દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટરમાં 28 દર્દી દાખલ છે.હોમ આઇસોલેશન માં 43 દર્દી દાખલ છે.આજરોજ 07 દર્દી સાજા થતા તેમને રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ 1393  દર્દી સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 1487 પર પહોચ્યો છે.આજે વધુ 2045 સેમ્પલ ચકાસણી હેઠળ છે

(11:12 pm IST)