Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

આણંદ નજીક જીટોડિયામાં બંધ મકાનના તાળા તોડી તસ્કરોએ 64 હજારની મતાની ઉઠાંતરી કરી

આણંદ: નજીક આવેલા જીટોડીયાની લક્ષ ડ્રીમ વિલેજમાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ મકાનના તાળા તોડીને અંદરથી ૬૪ હજારની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોર્ડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી માર્કન્ડેય વિક્રમાદિત્ય ત્રિપાઠી જીટોડીયા નજીક આવેલી લક્ષ ડ્રીમ વીલેજ સોસાયટીમાં પોતાની પત્ની સાથે નિવૃત્ત જીવન ગુજારે છે. ગત તારીખ ૨૦મીના રોજ તેઓ બપોરના સુમારે પત્ની સાથે મકાનને તાળુ મારીને મહેસાણા ખાતે રહેતી પુત્રીને ત્યાં ગયા હતા અને રોકાયા હતા.

(6:11 pm IST)