Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

સુરતના પાંડેસરામાં આર્થિક ભીંસના કારણે પુંઠાના વેપારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:પાંડેસરા બમરોલી રોડ ખાતે પૂંઠાનો વેપાર કરતા મૂળ મહેસાણાના યુવાન વેપારીએ ગતરાત્રે પોતાના ગોડાઉનમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વેપારીએ આ પગલું સંભવતઃ આથક સંકડામણને લીધે ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

નવી સિવિલ હોસ્પિટલ તેમજ પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહેસાણાના વીસનગરના વતની અને સુરતમાં ડીંડોલી અંબિકાનગરમાં રહેતા 45 વર્ષીય અરવિંદભાઈ અંબાલાલ પટેલ પાંડેસરા બમરોલી રોડ ખાતે પૂંઠાનો વેપાર કરતા હતા. ભાડાના ગોડાઉનમાં વેપાર કરતાં અરવિંદભાઈએ ગતરાત્રે મિત્ર સાથે ચા પીધા બાદ તમામ કારીગરોને રજા આપી દીધી હતી. આ તરફ અરવિંદભાઈ મોડે સુધી ઘરે નહીં પહોંચતા પરિવારજનોને ચિંતા થઈ હતી.

(6:04 pm IST)