Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સાસરિયાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા જતી અમદાવાદની પરિણીતાને ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરીને બચાવી લીધી

 અમદાવાદ:સાબરકાંઠામાં રહેતી મહિલા સાસરીયાના ત્રાસથી કંટાળીને પોતાની એક વર્ષની પુત્રી સાથે આપઘાત કરવા અમદાવાદ આવી હતી. નહેરૃબ્રિજ નજીક તે નદીમાં ઝંપલાવે તે પહેલા ફાયરબ્રિગેડની રેસ્ક્યુ ટીમે માતાપુત્રીને બચાવી લીધા હતા. બાદમાં બન્નેને તેમના ગોતામાં રહેતા સંબંધીને ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા.

 આ બનાવની વિગત મુજબ સાબરકાંઠાના ભાભરમાં રહેતા શ્રધ્ધાબહેન રાઠોડ (૨૪)સાસરીયાના ત્રાસથી કંટાળીને તેમની એક વર્ષની પુત્રીને લઈને ૨૨ ઓક્ટોબરના રોજ અમદાવાદ આવી ગયા હતા. આખી રાત માતાપુત્રીએ ભુખ્યા તરસ્યા રહીને ગાળી હતી.

 ૨૩ ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૩૦ વાગ્યે શ્રધ્ધાબહેન પુત્રીને લઈને નહેરૃબ્રિજ વોકવે પાસે આપઘાત કરવા આવ્યા હતા.

(5:09 pm IST)