Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

હિંમતનગર: તલાટી મંડળના પ્રશ્નોનું નિરાકરણ ન થતા કર્મીઓ હજુ પણ હડતાલ પર યથાવત

હિંમતનગર:ગુજરાત રાજ્ય તલાટી મંડળે તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા સોમવારથી રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે ત્યારે બીજા દિવસે એટલેકે મંગળવારે હડતાલ યથાવત રહી હતી જેના લીધે સાબરકાંઠામાં આવેલી તમામ ગ્રામ પંચાયતોમાં તલાટીઓ વિના અનેક કામગીરી ખોરંભે પડી હતી જોકે હડતાલને લીધે તલાટી મંડળના પ્રતિનીધીઓને ગાંધીનગરનું તેડુ આવતા તેઓ ગાંધીનગર પહોચી ગયા હતા.

સાબરકાંઠા તલાટી મંડળના મહામંત્રી વી.એન.પાંડવના જણાવ્યા મુજબ તલાટીઓની હડતાલને લીધે ગ્રામ પંચાયતોમાં રોજબરોજ થતી કામગીરીને અસર જરૃર થઈ છે.

(5:05 pm IST)