Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કપડવંજના કરસનપુરામાં બે જૂથ વચ્ચે બઘડાટી બોલતા ગુનો દાખલ

 કપડવંજ: તાલુકાના કરસનપુરામાં નવરાત્રીમાં રબારી અને ઠાકોરો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતને લઈ બંને જ્ઞાતિના જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ બનાવ અંગે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવતા કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપડવંજ તાલુકાના કરસનપુરા ગામમાં પરમારો અને રબારી પરિવારો રહે છે તાજેતરમાં નવરાત્રીના ગરબા પ્રસંગે ઝઘડુપુરના પરમારો અને રબારી લોકો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા અંગે પ્રકાશભાઈ બાબુભાઈ પરમાર (રહે. ઝઘડુપુર) ગત તા.૨૧-૧૦-૧૮ના રોજ બપોરે કરસનપુરા ગામે હરજીભાઈ રબારીને ઠપકો આપવા ગયો હતો ત્યારે આ ઝઘડાની અદાવત રાખી હરજીભાઈ રબારીએ ગમે તેમ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ મોટર સાયકલોની તોડફોડ કરી નુકસાન કર્યું હતુ. આ બનાવ અંગે પ્રકાશભાઈ બાબુભાઈ પરમારની ફરિયાદ આધારે કપડવંજ ટાઉન પોલીસે હરજીભાઈ મેલાભાઈ રબારી તેમજ બીજા છ થી સાત ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 

(5:02 pm IST)