Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

રાજ્યમાં કોરોના ધીમો પડ્યો :નવા 140 કેસ નોંધાયા:વધુ 160 દર્દીઓ સાજા થયા:આજે એક દર્દીનું મૃત્યુ થયું :મૃત્યુઆંક 11.032 થયો :કુલ 12.62.142 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 1.10.971 લોકોનું રસીકરણ કરાયું

મોટાભાગના કેસ અમદાવાદમાં નોંધાયા:રાજયમાં હાલમાં 1002 કોરોનાનાં એક્ટીવ કેસ :શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 140 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 160 દર્દીઓ સ્વસ્થ થયા છે.અત્યાર સુધીમાં કુલ 12,62.142 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એક દર્દીનું મૃત્યુ થયું છે,ગાંધીનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,032 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.06 છે

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 1.10.971 લોકોનું રસીકરણ કરાયું છે.આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,65.05.257 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે.

 રાજ્યમાં હાલ 1002 એક્ટિવ કેસ છે.જેમાંથી 2 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1000 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 140 કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં 54 કેસ,સુરત કોર્પોરેશનમાં 32 કેસ,વડોદરા કોર્પોરેશનમાં 13 કેસ, બનાસકાંઠામાં 6 કેસ, સુરત અને વલસાડમાં 4-4 કેસ, ગાંધીનગર કોર્પોરેશન,નવસારી અને રાજકોટ કોર્પોરેશનમાં 3-3 કેસ, અમદાવાદ,  ભાવનગર કોર્પોરેશન,બોટાદ,કચ્છ અને મહેસાણામાં 2-2 કેસ, આણંદ , ભરૂચ, ભાવનગર,દેવભૂમિ દ્વારકા,ગાંધીનગર,જામનગર કોર્પોરેશન,રાજકોટ અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:12 pm IST)