Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

બગોદરા નજીક કુળદેવીના દર્શને જતા પદયાત્રી સંઘને અજાણ્યા ટ્રકે હડફેટે લેતા બે યાત્રીના મૃત્યુ

બગોદરા : બગોદર પાસે તારાપુર હાઇવે પર પેટલાદથી વઢવાણાના ખાજેલી ગામે કુલદેલીના જવારાના દર્શન કરવા પદયાત્રી સંઘ જતો હતો ત્યારે અજાણ્યા ટ્રકે અડફેટે લેતા બે પદયાત્રિના મોત નિપજ્યા હતા. આ મામલે ટ્રક ચાલકની શોઘખોળ હાથ ધરી છે. 

પેટલાદથી સંઘ મોટી સંખ્યામાં પદયાત્રીઓ સાથે વઢવાણ તાલુકાના ખાજેલી ગામે કુળદેવીના જવારાના સ્થાપના કરવા જઈ  રહ્યા હતા ત્યારે બગોદરા પાસે રોડ પર સંઘ સાથે પદયાત્રીઓ જઇ રહ્યા હતા તેવામાં અજાણ્યા ટ્રક ચાલકે ગફલતભરી રીતે ચલાવી બે પદયાત્રીને અડફેટેમા લેતા ઘટના સ્થળ પર રણછોડભાઈ ઓઘડભાઈ ચીહલા  અને નાગજીભાઈ ભુરૂભાઇ ચીહલા (રહે નાપાડવાસ ખેલીયાં પેટલાદ, મૂળ ગામ ખાજેલી વઢવાણ તાલુકો)ના મોત નિપજ્યા હતા. આ બનાવની જાણ બગોદરા પોલીસેને થતા ઘટના સ્થળ પીપર જઈ  મૃતદેહોનો કબજો લઇ બગોદરા આરોગ્ય કેન્દ્ર પર પી એમ કરાવી અજણ્યા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી.

(5:49 pm IST)