Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

રાજયના વર્તમાન અને નિવૃત કર્મચારીઓના તબીબી ભથ્‍થામાં વધારો માસિક રૂા.૩૦૦ના બદલે ૧ હજાર મળવાપાત્ર

રાજકોટ, તા.૨૪: રાજય સરકારના તેમજ પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્‍શનરોને તા.૩-૧૦-૨૦૧૨ના ઠરાવથી નક્કી થયા મુજબ તબીબી ભથ્‍થુ હાલમાં પ્રતિ માસ રૂ.૩૦૦/ (અંકે રૂપિયા ત્રણસો પુરા) ચુકવવામાં આવે છે. રાજય સરકાર દ્વારા હાલમાં મળતા તબીબી ભથ્‍થાની રકમમાં વધારો કરીને પ્રતિ માસ રૂ.૧૦૦૦/ (અંકે રૂપિયા એક હજાર પુરા) ચુકવવાનું ઠરાવવામાં આવે છે. આ હુકમ રાજય સરકાર/ પંચાયત સેવાના કર્મચારીઓ તેમજ પેન્‍શનરોને લાગુ પડશે. વર્કચાર્જ કર્મચારીઓ કે જેમણે સળંગ એક વર્ષની નોકરી પૂર્ણ કરી હોય તેઓને લાગુ પડશે.

(4:16 pm IST)