Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

૪ર ડે. કલેકટરોની બદલી, ર૬ મામલતદારોને બઢતી

રાજકોટ તા. ર૪ : રાજય સરકારના મહેસુલ વિભાગે ગઇકાલે મોડી સાંજે ૪ર નાયબ કલેકટરોની બદલીના અને ર૬ મામલતદારોને નાયબ કલેકટર તરીકે બઢતી આપતા હુકમ કર્યા છે. ગાંધીનગર ખાતેના રાજયના મદદનિશ વિકાસ કમિશનર નિમેષ પટેલને રાજકોટ પંચાયતમાં ડે.ડી.ડી.ઓ. બનાવાયા છે.
વઢવાણના પ્રાંત અધિકારી  વી. એન. સરવૈયાને દિયોદર (બનાસકાંઠા) પ્રાંત અધિકારી પદે, બોટાદના ડી.એસ.ઓ. પદમીન રાઠોડને મહેસાણા ડે.ડી.ડી.ઓ., રાજકોટના ડે.ડી.ડી.ઓ. રાહુલ ગમારાને ગિર સોમનાથ ડી.એસ.ઓ. ભાવનગર નાગરિક સંરક્ષણના એમ.આર.બ્રહ્મભટ્ટને ત્‍યાંજ ડે.મ્‍યુ.કમિશનર, ધારીના પ્રાંત અધિકારી પૂજા જોટાણિયાને ત્‍યાં જ સ્‍ટેમ્‍પ ડયુટીમાં નિમણુંક આપવામાં આવી છે. ગિર સોમનાથના ડી.એસ.ઓ. આર. જી. આલ જસદણ પ્રાંત અધિકારી તરીકે મૂકાયા છ.ે
મામલતદારોને બઢતી
માળિયા મીયાણા ડી.સી.પરમારને રાજકોટ ગ્રામ્‍ય સ્‍ટેમ્‍પ ડયુટીમાં માંગરોળના એચ.કે. પરમારને મોરબી કલેકટર કચેરીમાં, રૂડાના જી.એમ.માવદિયાને ધારી પ્રાંત અધિકારી તરીકે, રાજકોટ કલેકટર કચેરીના ચીટનિસ કે.ટી.પંડયાને સુરેન્‍દ્રનગરમાં પુરવઠા અધિકારી તરીકે, જૂનાગઢ ચૂંટણીના જે.જે.કનોજિયાને ગિર સોમનાથ કલેકટર કચેરીમાં નિમણૂંક આપવામાં આવી છે.

 

(5:18 pm IST)